ભારતીય નૌકાદળના જહાજો INS સતપુરા અને INS દિલ્હી સિંગાપુર પહોંચી ગયા છે. આ જહાજો આજથી 8 મે દરમિયાન યોજાનારી પ્રથમ ASEAN ઇન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ (AIME-2023)માં ભાગ લેશે.
ભારત અને ચીનના સંબંધો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ચીન સતત સરહદનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેના કારણે આ સંબંધો સુધરવાના બદલે બગડી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારત આજથી સિંગાપોરના દરિયાકાંઠે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેની પ્રથમ દરિયાઇ કવાયત કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભારત હિંદ મહાસાગરમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી નેવીના જહાજોની મોટી હાજરી પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે ભારતીય નૌકાદળના જહાજો INS સતપુરા અને INS દિલ્હી સિંગાપુર પહોંચી ગયા છે. આ જહાજો આજથી 8 મે દરમિયાન યોજાનારી પ્રથમ ASEAN ઇન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ (AIME-2023)માં ભાગ લેશે.
ભારતીય અને આસિયાન નેવી માટે સાથે મળીને કામ કરવાની તક
ઈસ્ટર્ન ફ્લીટના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ આરએડીએમ ગુરચરણ સિંઘના નેતૃત્વમાં જહાજો સિંગાપોર પહોંચ્યા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કવાયતનો ‘હાર્બર તબક્કો’ 2 થી 4 મે સુધી ચાંગી નેવલ બેઝ પર અને ‘સી ફેઝ’ 7 થી 8 મે સુધી દક્ષિણ ચીન સાગરમાં કરવામાં આવશે. AIME-2023 ભારતીય નૌકાદળ અને ASEAN નેવીને સાથે મળીને કામ કરવાની અને દરિયાઈ ક્ષેત્રમાં સીમલેસ કામગીરી હાથ ધરવાની તક પૂરી પાડશે.
જહાજો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા પરિષદમાં પણ ભાગ લેશે
ભારતની પ્રથમ સ્વદેશી નિર્મિત ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS દિલ્હી અને સ્વદેશી રીતે નિર્મિત ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ INS સતપુરા વિશાખાપટ્ટનમ સ્થિત ભારતીય નૌકાદળના પૂર્વીય ફ્લીટનો એક ભાગ છે. આ જહાજો ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફના ઓપરેશનલ કમાન્ડ હેઠળ કામ કરે છે. આ જહાજો અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે. સિંગાપોરમાં તેમના પોર્ટ કોલ દરમિયાન, બંને જહાજો સિંગાપોર દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ મેરીટાઇમ ડિફેન્સ એક્ઝિબિશન અને ઇન્ટરનેશનલ મેરીટાઇમ સિક્યુરિટી કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.