દેશમાં સતત ચાર દિવસના ઘટાડા બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 3,720 કેસ નોંધાયા છે. ગઈકાલે એટલે કે મંગળવારે કોરોનાના કુલ 3,325 કેસ નોંધાયા હતા.
સક્રિય કેસોમાં ઘટાડો
મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કુલ 7,698 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, કોરોનાના સક્રિય કેસ ઘટીને 40,177 પર આવી ગયા છે. મંગળવારે સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 44,175 હતી.
20 લોકોના મોત
રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 31 હજાર 584 દર્દીઓના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4 કરોડ 49 લાખ 56 હજાર 716 કેસ નોંધાયા છે. 4 કરોડ 43 લાખ 84 હજાર 955 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.
હાલમાં દેશમાં સક્રિય કેસ કુલ કેસના 0.09 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 98.73 ટકા થઈ ગયો છે. મૃત્યુ દર હવે ઘટીને 1.18 ટકા પર આવી ગયો છે.
કેટલા લોકોને રસી મળી?
દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 220.66 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ 102.74 કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. 95.19 કરોડથી વધુ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય 22.72 કરોડથી વધુ સાવચેતીના ડોઝ પણ આપવામાં આવ્યા છે.