કહેવાય છે કે કોઈના ઘરનું બાથરૂમ એ પરિવાર વિશે ઘણું બધું કહી જાય છે. તેવી જ રીતે ઘરની છત પણ ઘરની સમૃદ્ધિ દર્શાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત સ્વચ્છ અને સુંદર હોય ત્યારે ઘરના સભ્યોની પ્રગતિ થાય છે.
કેટલીકવાર તમને તમારી મહેનતનું ફળ મળતું નથી. જેની પાછળનું કારણ તમારા ઘરનો વાસ્તુ દોષ હોઈ શકે છે. તમે ઘરના દરેક ખૂણાનું ધ્યાન રાખો છો, પરંતુ ઘરની છત ભૂલી જાઓ છો.
ઘરની સફાઈ દરમિયાન નકામી વસ્તુઓને ટેરેસ પર રાખવામાં આવે છે. જે વાસ્તુની દૃષ્ટિએ યોગ્ય ન કહેવાય. આ નકામી વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ લાવે છે. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે તો છત પરથી હટાવી દો આ વસ્તુઓ.
છતની સફાઈ ન કરવી કે છત પર સાવરણી રાખવી યોગ્ય નથી માનવામાં આવતી. આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. આજે જ આ આદતો સુધારી લો.
છત પર સુકા કપડા માટે દોરડું બાંધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે છત પર દોરડું રાખવાથી વાસ્તુદોષ થાય છે. એટલા માટે ક્યારેય છત પર દોરડાનું બંડલ ન રાખો. જો કે તમે છત પર કપડાં સૂકવવા માટે દોરડું બાંધી શકો છો.
ધાબા પર વાંસ કે વાંસની બનેલી કોઈપણ વસ્તુ ક્યારેય ન રાખો, આ પણ વાસ્તુની દૃષ્ટિએ શુભ માનવામાં આવતું નથી. તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિનો અંત આવી શકે છે.