સુપ્રીમ કોર્ટે રામ સેતુ સ્થળની આસપાસ ‘દર્શન’ માટે દિવાલ બનાવવાની માંગ કરતી PILને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એક વહીવટી નિર્ણય છે અને અરજીકર્તાને પૂછ્યું કે કોર્ટ દિવાલ બનાવવા માટે કેવી રીતે સૂચના આપી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્મારકને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાના નિર્દેશની માંગ કરતી બીજી અરજી સાથે તે પીઆઈએલને ટેગ કરવાનો પણ ઇનકાર કર્યો હતો.