ઓપરેશન અજયની બીજી ફ્લાઈટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. આ વિમાનમાં 235 ભારતીય નાગરિકો સવાર હતા, જેમને ઈઝરાયેલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં 447 ભારતીયોને ઈઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ લોકોનું સ્વાગત કર્યું હતું
કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજકુમાર રંજને ઈઝરાયેલથી પરત ફરેલા લોકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે બીજી ફ્લાઈટમાંથી પરત ફરેલા લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય નાગરિકોએ તેમને ઇઝરાયેલથી પરત લાવવા બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ફ્લાઈટ શુક્રવારે રાત્રે ઉડાન ભરી હતી
તમને જણાવી દઈએ કે ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઈટ શુક્રવારે રાત્રે સ્થાનિક સમય મુજબ (ઈઝરાયેલ) રાત્રે 11.02 કલાકે ઉડાન ભરી હતી. ઈઝરાયેલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન ચાલુ રહેશે. ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો રહે છે.
પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયો વતન પહોંચ્યા હતા
અગાઉ, ઇઝરાયેલથી ભારતીય નાગરિકોની પરત ફરવાની સુવિધા માટે, પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે મોડી સાંજે બેન ગુરિયન એરપોર્ટથી ભારત માટે રવાના થઈ હતી અને શુક્રવારે સવારે ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીય નાગરિકો સવાર હતા.
#WATCH | MoS MEA Rajkumar Ranjan Singh receives the Indian nationals evacuated from Israel.
Second flight carrying 235 Indian nationals from Israel, arrived in Delhi today. pic.twitter.com/u1ort7HwCf
— ANI (@ANI) October 14, 2023