સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારતીય નૌકાદળના INS ઇમ્ફાલના ક્રેસ્ટનું અનાવરણ કર્યું હતું. સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈમ્ફાલ બ્રહ્મોસ સરફેસ ટુ સરફેસ મિસાઈલ અને સ્વદેશી એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સથી સજ્જ છે.
ત્રણેય સેના પ્રમુખો હાજર રહ્યા હતા
મઝાગોન ડાક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈએ 20 ઓક્ટોબરે ભારતીય નૌકાદળને આ યુદ્ધ જહાજ સોંપ્યું હતું. અનાવરણ સમારોહ દિલ્હીમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ, CDS જનરલ અનિલ ચૌહાણ અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં યોજાયો હતો. INS ઇમ્ફાલ પ્રોજેક્ટ 15B સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર હેઠળ બનાવવામાં આવેલા ચાર યુદ્ધ જહાજોમાંથી ત્રીજું છે.
મણિપુરના લોકોના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ
ક્રેસ્ટની ડિઝાઇન ડાબી તરફ કાંગલા પેલેસ અને જમણી બાજુએ કંગલા-સા દર્શાવે છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે કાંગલા પેલેસ અને ઇમ્ફાલના કાંગલા-સા ક્રેસ્ટનું અનાવરણ એ મણિપુરના લોકો દ્વારા ભારતની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે આપેલા બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ છે. કાંગલા પેલેસ મણિપુરનું એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળ છે અને તે પ્રાચીન સામ્રાજ્યની પરંપરાગત બેઠક હતી.
મણિપુરનું કાંગલા-સા રાજ્ય પ્રતીક
ડ્રેગનના માથા અને સિંહના શરીરની આકૃતિથી સુશોભિત કંગલા-સા, મણિપુરના ઇતિહાસમાંથી એક પૌરાણિક પ્રાણી છે અને સ્થાનિક લોકોના રક્ષક તરીકે ઓળખાય છે. કંગલા-સા મણિપુરનું રાજ્ય પ્રતીક પણ છે.
4 ક્રેસ્ટની ડિઝાઇન ડાબી બાજુએ કાંગલા પેલેસ અને જમણી બાજુએ કાંગલા-સા દર્શાવે છે.