દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 752 કોરોના કેસ જોવા મળ્યા છે. 21 મે પછી એક જ દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે.
સક્રિય કેસોમાં પણ વધારો
કોરોનાના કેસ વધવાની સાથે એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. સક્રિય કેસ હવે વધીને 3,420 થઈ ગયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, 24 કલાકના ગાળામાં ચાર મૃત્યુ સાથે મૃત્યુઆંક હવે 5,33,332 (ત્રણ વર્ષનો આંકડો) પર પહોંચી ગયો છે. કેરળમાં બે, રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એકના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, કોરોનાની શરૂઆતથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,71,212 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ પણ 98.81 ટકા છે. મૃત્યુ દર હવે 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.