સુપ્રીમ કોર્ટ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરી છે. કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.
નોંધનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કેજરીવાલે EDની ધરપકડ અને રિમાન્ડ સામે અપીલ કરી છે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, ધરપકડ અવિશ્વસનીય દસ્તાવેજો પર આધારિત છે અને તેને અમારાથી છુપાવવામાં આવી છે. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, ઈમેલ મોકલો, હું મામલો જોઈશ.