spot_img
HomeGujaratગોધરા-દાહોદ હાઇવે પર અકસ્માત, ચાર મુસાફરોના મોત

ગોધરા-દાહોદ હાઇવે પર અકસ્માત, ચાર મુસાફરોના મોત

spot_img

રાજ્યમાં ફરીથી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માત ગોધરા- દાહોદ હાઈવે પર થયો હતો. જેમાં અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે પર જ પાર્ક કરી કામગીરી કરવામાં આવી રહી હતી, તે દરમ્યાન આ ઉભેલી બસને પાછળથી અન્ય ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી. જો કે એ હવે એ જોવાનું રહ્યું છે કે જે બ,ે ટક્કર મારી હતી તેનો ડ્રાઈવર ઓવરસ્પીડીંગમાં હતો કે નહીં.

Accident on Godhra-Dahod highway, four passengers killed

આ ટક્કર એટલી ભયાનક હતી કે બસ ચાલકનો સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ હાઈવે પરથી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ બસે પલ્ટી મારી હતી. આ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હતા જ્યારે અન્ય મુસાફરો ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ઘાયલોનો ગોધરા સિવિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યાર બાદ આગળની તપાસ હાથ ધરી હતી. બસનો આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular