કોંગ્રેસે મંગળવારે સરકાર પર ચૂંટણી માટે સેનાનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે સત્તાધારી પક્ષે સૈનિકોની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવીને સેનાની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી સરકારે સેનાને દેશભરમાં સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા કહ્યું છે, જ્યાં જવાનોની બહાદુરીને બદલે તેની યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે.
ખડગેએ કહ્યું, ‘દેશની રક્ષા કરનારા ભારતીય સેનાના બહાદુર જવાનોની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવીને પીએમ મોદી પોતાને પ્રમોટ કરી રહ્યા છે. ચૂંટણી માટે સેનાનો રાજકીય ઉપયોગ કરીને મોદી સરકારે એવું કામ કર્યું છે જે છેલ્લા 75 વર્ષમાં ક્યારેય થયું નથી.
નોંધનીય છે કે મોદી સરકારે સરકારી યોજનાઓને પ્રમોટ કરવા માટે સેનાને દેશભરમાં 822 સેલ્ફી પોઈન્ટ બનાવવાનું કહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે સૈનિકોની બહાદુરીની ગાથાને બદલે સેલ્ફી પોઈન્ટ પર વડાપ્રધાન મોદીની તસવીરો લગાવવામાં આવી હતી અને તેમની યોજનાઓના વખાણ થઈ રહ્યા હતા.
કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘અમારી પાર્ટીને ભારતીય સેનાની બહાદુરી અને બલિદાન પર ખૂબ ગર્વ છે. રાષ્ટ્રવાદનો પાઠ ભણાવનાર ભાજપે ભારતીય સેનાની ગરિમાને ઠેસ પહોંચાડી છે.