ઘરમાં ડેકોરેશન માટે લગાવવામાં આવતા છોડનું કનેક્શન ઘરના વાસ્તુ સાથે પણ છે. આજકાલ લોકો પોતાના રૂમોમાં પણ છોડ લગાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા યોગ્ય નથી.
છોડ લગાવતા પહેલા વાસ્તુના આ નિયમોનું રાખો ધ્યાન
ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું. લોકો મોટાભાગે ઘરની અંદર બેડરૂમ, ડ્રોઈંગરૂમ, સેન્ટ્રલ હોલ અને સીડિઓ પર વાંસ લગાવે છે. પરંતુ તેને વાસ્તુની દ્રષ્ટિથી તેને શુભ નથી માનવામાં આવતું અને આ નેગેટિવિટિને આમંત્રિત કરે છે. આ છોડને ઘરની બહાર ગાર્ડનમાં લગાવવા જ યોગ્ય છે.
ઘરના રૂમોમાં સજાવટ માટે પ્લાસ્ટિક અને ફાઈબરના છોડ રાખવાથી બધી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવી જાય છે. જે ક્લેશનું કારણ બની શકે છે. જેના કારણે પરિવારના સદસ્યોમાં સુખ-શાંતિ નથી રહેતી.
ત્યાં જ વાસ્તુ અનુસાર ઘરમાં કાંટા વાળા છોડ સ્નેક પ્લાન્ટ ન લગાવવા જોઈએ. આ છોડ ઘરમાં લગાવવાથી ક્લેશ થાય છે અને પરિવાર પર ખરાબ પ્રભાવ પડે છે.
વરસે છે માતા લક્ષ્મીની કૃપા
જો તમને ઘરમાં શુભફળ આપનાર છોડ લગાવવા જ છે તો તુલસીનો છોડ ઈશાન કોણની દિશામાં લગાવો. શમીનો છોડ દક્ષિણ દિશામાં અને માતા લક્ષ્મીની અસમી કૃપા મેળવવા માટે લાલ જાસુદનો છોડ ઘરમાં લગાવો. આ છોડને ઘરના ગાર્ડનમાં લગાવવાથી ધન-સંપત્તીમાં વધારો થશે.