ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની ગઈ છે. પરંતુ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસ ફેન્સ માટે ચિંતાનું કારણ બની રહી છે. જોકે, ફાઈનલના ત્રણ દિવસ બાદ ધોની અને CSKના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધોનીની ઘૂંટણની સર્જરી સફળ રહી છે, સાથે જ માહી પણ ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ધોનીને મેદાનમાં પરત ફરતા બે મહિનાથી વધુ સમય લાગશે નહીં.
ધોનીની ફિટનેસ અપડેટ CSK CEO કાશી વિશ્વનાથ દ્વારા બહાર પાડવામાં આવી હતી. વિશ્વનાથે કહ્યું, “ધોનીની સર્જરી સફળ રહી છે. ધોનીને ગુરુવારે સાંજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બે મહિનામાં ધોની સંપૂર્ણ ફિટ થઈને મેદાનમાં પરત ફરી શકે છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ધોનીને ઘૂંટણના દુખાવાથી સામનો કરવો પડ્યો હતો. જોકે ધોનીએ ઘૂંટણના દુખાવા છતાં તમામ મેચ રમી હતી અને ટીમ માટે વિકેટકીપિંગ સિવાય બેટથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ દરમિયાન ધોનીને એટલો દુખાવો થતો હતો કે તે મેદાન પર આવતી વખતે ઘૂંટણ પર કેપ લગાવતો હતો. ધોનીને રન લેતી વખતે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. ધોની ભલે દર્દ હોવા છતાં રમ્યો પરંતુ તેણે બતાવ્યું કે ભારતીય ક્રિકેટમાં તેના કરતા મોટો ચેમ્પિયન કેમ નથી.
ધોનીએ નિવૃત્તિ લીધી નથી
IPL 16ના અંતે ધોનીએ ફેન્સને વધુ એક મોટી રાહત આપી છે. એવી અટકળો હતી કે ધોની આ સિઝન પછી IPLને અલવિદા કહી દેશે. પરંતુ ફાઈનલ બાદ જ ધોનીએ સ્પષ્ટ કરી દીધું કે તે આઈપીએલને અલવિદા કહેવાનો નથી. ધોનીનો પ્રયાસ આગામી સિઝનમાં રમવાનો છે.
જોકે ધોની આગામી સિઝન રમશે કે નહીં તે હજુ ફાઈનલ નથી. ધોનીએ સ્પષ્ટ કર્યું છે કે મેદાન પર ઉતરવા માટે તેના શરીરને ટેકો આપવો જરૂરી છે. ધોની આગામી કેટલાક મહિનાઓ સુધી આગામી સિઝન માટે પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરશે. જો અગલ ધોનીની આ કોશિશ સફળ થશે તો આગામી સિઝનમાં પણ તે મેદાન પર શાનદાર દેખાવ કરતો જોવા મળશે.