સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોના દોષિતોની સમય પહેલા જેલમુક્તિ પર ફરી સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સજામાં માફીની વિભાવનાની વિરુદ્ધ નથી, કારણ કે કાયદામાં તેને સારી રીતે સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે આ ગુનેગારો કેવી રીતે માફીને પાત્ર બન્યા.
કોર્ટે વધુમાં પૂછ્યું કે શું તે દોષિતોને ઘણા દિવસો માટે પેરોલની તક મળી છે. કેટલાક ગુનેગારોને આ રીતે વિશેષાધિકાર કેવી રીતે આપી શકાય? હવે 20 સપ્ટેમ્બરે પણ સુનાવણી ચાલુ રહેશે.
જસ્ટિસ બી નાગરથનાએ વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાને આકરા પ્રશ્નો પૂછ્યા. કોર્ટે કહ્યું કે કેટલાક દોષિતોને અન્યની સરખામણીમાં વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. આ ગુનેગારોને સજામાંથી મુક્તિ કેમ મળી તે સમજાવો.
કોર્ટના સવાલ પર સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે, ‘જેને પણ આજીવન કેદની સજા થાય છે તેને બદલાવની તક આપવામાં આવે છે.’ કોર્ટે વધુમાં કહ્યું હતું કે અમારી પાસે જે અરજદારો આવ્યા છે તેઓ સજામાં માફી આપતા કાયદા પર સવાલો નથી ઉઠાવી રહ્યા પરંતુ સવાલો ઉઠાવી રહ્યા છે કે આ લોકોને સજામાં માફી કેમ આપવામાં આવી.
હવે બેન્ચ આ મામલે વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરે કરશે. તમને જણાવી દઈએ કે 2002માં ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ થયો હતો. જેમાં 11 લોકો દોષિત સાબિત થયા હતા. હવે ગુજરાત સરકારે આ ગુનેગારોને સજામાંથી મુક્તિ આપી હતી, ત્યારબાદ તેઓને છોડી દેવામાં આવ્યા હતા. આનો ઘણો વિરોધ થયો, પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.