ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ લગભગ ઉત્તર તરફ આગળ વધવાની અને આગામી થોડા કલાકો દરમિયાન ધીમે ધીમે ગંભીર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી સંભાવના છે. તે પછીના 24 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
તે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1020 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1090 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1380 કિમી દક્ષિણમાં કેન્દ્રિત છે.
ભારતના હવામાન પર શું થશે અસર
કેરળમાં ચોમાસાની શરૂઆત પહેલાથી જ વિલંબિત થઈ ગઈ છે, હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન કેરળના દરિયાકાંઠે ચોમાસાની પ્રગતિને ગંભીર અસર કરશે તેવી અપેક્ષા છે. હવામાન વિભાગે હજુ સુધી કેરળમાં ચોમાસાના આગમન માટે કોઈ કામચલાઉ તારીખ આપી નથી, જ્યારે ખાનગી આગાહી એજન્સી સ્કાયમેટ વેધરનું કહેવું છે કે તે 8 જૂન અથવા 9 જૂન હોઈ શકે છે.