પંજાબના ભટિંડા સ્થિત આર્મી વિસ્તારમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. જે બાદ સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કેસમાં એક શંકાસ્પદ નાગરિકની અટકાયત કરવામાં આવી છે. ભટિંડા મિલિટરી સ્ટેશનને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. થોડા દિવસો પહેલા ઈન્સાસ રાઈફલ ગાયબ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. હાલ આ કેસમાં શકમંદની પૂછપરછ ચાલી રહી છે.
પંજાબ પોલીસના સૂત્રોએ બુધવાર (12 એપ્રિલ) સવારે ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળીબારની ઘટનામાં કોઈપણ આતંકવાદી એંગલને નકારી કાઢ્યું છે જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભટિંડામાં આર્મી કેન્ટોનમેન્ટના તમામ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, સૂત્રોનું કહેવું છે કે લગભગ બે દિવસ પહેલા 28 કારતુસ સાથેની INSAS રાઈફલ ગુમ થઈ ગઈ હતી અને આ ઘટના પાછળ સેનાના કેટલાક જવાનો હોઈ શકે છે.
સર્ચ ઓપરેશન બાદ મામલો બહાર આવશે
ભારતીય સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના એક નિવેદન અનુસાર, ગોળીબારની ઘટના ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર સવારે લગભગ 4.35 વાગ્યે થઈ હતી. કેસની સંપૂર્ણ માહિતી સર્ચ ઓપરેશન પછી જ મળશે, જેથી આ ઘટના પાછળ કોનો હાથ છે તે જાણી શકાય.
સંરક્ષણ મંત્રીએ બેઠક બોલાવી
આ ઘટના અંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ જાણ કરવામાં આવી છે. રક્ષા મંત્રીએ ભટિંડા ઘટનાને લઈને બેઠક બોલાવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને આ ઘટના વિશે જણાવવામાં આવ્યું છે.