હિન્દુઓની શાસ્ત્રોમાં ખુબ આસ્થા છે. વાસ્તુ એમાંથી એક છે. વાસ્તુ અનુસાર કેટલીક ખાસ રીતનું પાલન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે જો તમે એવું કરશો તો ઘરની બધી નકારાત્મકતા દૂર થઇ જશે. સાથે ધન સંપત્તિની કમી નહિ થાય. આપણે દરરોજ તો ઘરમાં સાફ રાખીએ છે, પરંતુ રાત્રે કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. સુવાની જલ્દીમાં આપણે આળા પડી જઈએ છે, પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં એવું કરવું ખોટું જણાવવામાં આવ્યું છે . જો તમે પણ ધનવાન થવા માંગો છો તો કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ. તો ચાલો જાણીએ ઉન્નાવના જ્યોતિષ પંડિત ઋષિકાંત મિશ્રા શાસ્ત્રી પાસે જાણીએ કે ઘરમાં ધનની વૃદ્ધિ માટે શું કરવું.
જ્યોતિષ અનુસાર ઘરનો દરવાજો હંમેશા સાફ રાખો. ત્યારે જ દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થશે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી રાત્રે ઘરના દરવાજા પર આવે છે, ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે.
ધનના સ્વામી કુબેર માટે ઉત્તર દિશાને શુભ દિશા માનવામાં આવે છે. તેથી ઘરની તે દિશા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ.
પૂજા રૂમમાં હંમેશા અંધારું ન હોવું જોઈએ. દરેક ઘરના પૂજા રૂમમાં ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર લગાવવું જોઈએ અને રાત્રે સૂતા પહેલા પૂજા રૂમમાં એક નાનો દીવો અથવા લાઈટ લગાવવી જોઈએ.
રાત્રે સૂતા પહેલા સાવરણી ઉભી ન રાખો. સાવરણી હંમેશા આડી જ રાખો. કહેવાય છે કે દેવી લક્ષ્મીને ઝાડુ ઉભું રાખવું પસંદ નથી.
જ્યોતિષ અનુસાર રાત્રે યોગ્ય દિશામાં સૂવું જરૂરી છે. તમારા માથાને હંમેશા દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ રાખવાનો પ્રયાસ કરો.
જો તમે તમારા ઘરમાં કોઈ નકારાત્મક અસર અનુભવો છો, તો તરત જ રાત્રે કપૂર સાથે લવિંગ સળગાવી દો. એવું કહેવાય છે કે તેનાથી નકારાત્મક વિચારો દૂર થશે અને ઘરમાં ધનની વૃદ્ધિ થશે.