ગુવાહાટીથી અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ગુરુવારે (21 સપ્ટેમ્બર) એક પાગલ મુસાફરે ફ્લાઈટનો ઈમરજન્સી દરવાજો હવામાં ખોલવાનો પ્રયાસ કર્યો હતો. વ્યક્તિની આ હરકતથી મુસાફરો ડરી ગયા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું કે આરોપી મુસાફરની ઓળખ પશ્ચિમ ત્રિપુરાના જીરાનિયાના બિસ્વજીત દેબથ (41) તરીકે થઈ છે. ફ્લાઈટ લેન્ડ થયા બાદ તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, “ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ, નશામાં ધૂત એક મુસાફરે હવામાં ઇમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. જો કે, અન્ય મુસાફરોએ તેની કાર્યવાહી અટકાવી દીધી અને વિરોધ કર્યો. વિમાન અગરતલામાં સુરક્ષિત રીતે ઉતર્યું,” અધિકારીએ જણાવ્યું હતું.
મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે- પોલીસ
તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટના રનવેથી 15 માઈલના અંતરે ટેકઓફ કરી રહ્યું હતું. આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ (AIG), કાયદો અને વ્યવસ્થા, જ્યોતિષમાન દાસ ચૌધરીએ જણાવ્યું હતું કે અન્ય લોકોના જીવનને જોખમમાં નાખવાનો પ્રયાસ કરવા બદલ પેસેન્જર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.