દિલ્હી દારૂ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, CM કેજરીવાલ બાદ આ વ્યક્તિની કરાઈ ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે દિલ્હી લિકર પોલિસી (2022-22) કૌભાંડના આરોપી ચેનપ્રીત સિંહની ધરપકડ કરી હતી. ચેનપ્રીત સિંહ પર ગોવાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના ફંડનું સંચાલન કરવાનો આરોપ છે. આ પહેલા 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતરમાં, તપાસ એજન્સીએ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીમાં AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકની પણ પૂછપરછ કરી છે.

આ કેસમાં આ 17મી ધરપકડ છે

આ કેસમાં ED દ્વારા આ 17મી ધરપકડ છે. દિલ્હીના મુખ્યમંત્રી ધરપકડ બાદથી ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે. આ જ કેસમાં સીબીઆઈ દ્વારા આ પહેલા ચેનપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની FIR બાદ મની લોન્ડરિંગનો મામલો સામે આવ્યો છે.

ચૂંટણીમાં ચેનપ્રીતે શું કર્યું?

EDએ કોર્ટને જણાવ્યું હતું કે ગોવામાં વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી રહેલા સર્વે વર્કર્સ, એરિયા મેનેજર, એસેમ્બલી મેનેજર અને અન્ય લોકોને ચેનપ્રીત સિંહે રોકડ ચૂકવણીનું સંચાલન કર્યું હતું.

સાઉથ ગ્રુપે લાંચ આપી હતી

EDએ આરોપ લગાવ્યો હતો કે સાઉથ ગ્રુપે દિલ્હી લિકર માર્કેટમાં વર્ચસ્વ મેળવવા માટે આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. લિકર પોલિસી 2021-22 હવે નાબૂદ કરવામાં આવી છે. દક્ષિણ જૂથમાં BRS નેતા અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતા, ઉદ્યોગપતિ સરથ ચંદ્ર રેડ્ડી અને અન્યનો સમાવેશ થાય છે.

EDએ દાવો કર્યો છે કે આ કથિત લાંચમાંથી રૂ. 45 કરોડનો ઉપયોગ AAP દ્વારા તેના ગોવા ચૂંટણી પ્રચાર માટે ફાઇનાન્સ કરવા માટે કરવામાં આવ્યો હતો.

Google search engine