spot_img
HomeLatestNationalરાંચીમાં ઉપદ્રવિએ કર્યો હંગામો, હિંદુ મંદિરમાં તોડફોડ બાદ તંગદિલી ફેલાઈ

રાંચીમાં ઉપદ્રવિએ કર્યો હંગામો, હિંદુ મંદિરમાં તોડફોડ બાદ તંગદિલી ફેલાઈ

spot_img

ઝારખંડની રાજધાની રાંચીમાં ઉપદ્રવિએ હંગામો મચાવ્યો છે. અહીં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના મંદાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. હિન્દુ મંદિરની તોડફોડના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાંચીના મંદારમાં એક સાથે ચાર મંદિરોમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં જ તેઓ રોષે ભરાયા હતા. હજારો લોકો લાકડીઓ અને હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ અનેક સ્થળોએ ટ્રાફિકને રોકીને પ્રદર્શન પણ કર્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Jharkhand: Idols vandalised in five temples in Ranchi district, protesters  block key roads | Ranchi News - Times of India

કયા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી?
પ્રાપ્ત માહિતી અનુસાર મંદારના મુડમા સ્થિત મહાવીર મંદિર, છોટા બજરંગ બલી મંદિર, બુઢા મહાદેવ અને મોટી દેવી મંડપમાં આવેલી મૂર્તિઓને અસામાજિક તત્વોએ કટર મશીન વડે તોડી નાંખી હતી. શુક્રવારે સવારે આ સમાચાર આખા વિસ્તારમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા અને થોડી જ વારમાં હજારો લોકો લાકડીઓ અને હથિયારો સાથે રસ્તા પર આવી ગયા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. મૂર્તિઓની તોડફોડ કરનારાઓને શોધી કાઢવા, ધરપકડ કરવા અને તેમને ફાંસીની સજા આપવાની લોકો માંગ કરી રહ્યા છે.

રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા
રોષે ભરાયેલા લોકોએ વિવિધ સ્થળોએ વાંસ વડે રોડ પર રોક લગાવી દીધી હતી. રોડ પર ટાયરો મૂકી આગ ચાંપી હતી. NH-75 પર બંને બાજુથી વાહનોની લાંબી કતારો લાગી હતી. રાંચીના એસડીઓ દીપક દુબે અને ગ્રામ્ય એસપી મનીષ ટોપોએ ઉશ્કેરાયેલા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકો આરોપીઓની ધરપકડની માંગ પર અડગ છે. ગ્રામીણ એસપીએ કહ્યું છે કે પોલીસ પ્રતિમાઓને નુકસાન કરનારાઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે.

અહીં, ઝારખંડ રાજ્ય ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ મંદિરોમાં પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાંચી જિલ્લામાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે. તેમણે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular