Travel News: ગુજરાત ભારતના પશ્ચિમમાં આવેલા મુખ્ય રાજ્યોમાંથી એક છે. ગુજરાત અનેક સ્થાપત્ય અજાયબીઓનું ઘર છે જે તેની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસો અને સ્વાદિષ્ટ ભોજન માટે પ્રખ્યાત છે. તેના આકર્ષણોને કારણે ગુજરાતને ‘The Land Of Legends’ પણ કહેવામાં આવે છે. ગુજરાત કલા, ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિનું એક આદર્શ મિશ્રણ પ્રદાન કરે છે. તેના ઘણા આકર્ષણો ઉપરાંત ગુજરાત એ એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર પણ છે. ગુજરાત કચ્છના મહાન રણથી લઈને સાપુતારા પહાડીઓ સુધી કુદરતી સૌંદર્ય પ્રદાન કરે છે. આ સિવાય ગુજરાત 1600 કિમીથી વધુ લાંબા દરિયાકિનારા ઉપરાંત કેટલાક ભવ્ય પ્રાચીન ગુફા ચિત્રો, ઐતિહાસિક ભીંતચિત્રો, પવિત્ર મંદિરો, ઐતિહાસિક રાજધાનીઓ, વન્યજીવ અભયારણ્યો, દરિયાકિનારા, પહાડી રિસોર્ટ્સ અને આકર્ષક હસ્તકલા માટે પણ જાણીતું છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રવાસનની દ્રષ્ટીએ ઘણું સમૃદ્ધ છે. ગુજરાતમાં ફરવા માટેના અસંખ્ય પર્યટન સ્થળો છે, જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો. ગુજરાત તેના અનેક મંદિરો, વન્યજીવ અભયારણ્યો અને દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. જો તમે ગુજરાતમાં જ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમારા આ લેખને જરુર વાંચો, જેમાં અમે તમને ગુજરાતમાં ફરવા માટેના સૌથી ખાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ.
રણ ઓફ કચ્છ
જો તમે ગુજરાતમાં જ ફરવા માટેના કેટલાક સારા સ્થળો શોધી રહ્યા છો, તો કચ્છ તે સ્થળોમાં આવે છે, જેને તમારે એક્સપ્લોર જરુર કરવું જોઈએ. સ્થાપત્યની ભવ્યતા, સાંસ્કૃતિક સૌંદર્ય અને સ્વાદિષ્ટ ભોજન તમને અહીંના દિવાના બનાવી દેશે. કચ્છ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું છે, અને તમે અહીંથી પાકિસ્તાનના કેટલાક ભાગોને જોઈ શકો છો. કચ્છમાં ફરવા જવાનો બેસ્ટ સમય શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે. કચ્છમાં પ્રસિદ્ધ રણ ઉત્સવ પણ આ જ સમયે થાય છે.
ગીર નેશનલ પાર્ક
સાસણ ગીર તરીકે પણ જાણીતું, આ વન્યજીવ અભયારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર છે. આફ્રિકા સિવાય, આ વિશ્વની એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં તમે આ પ્રજાતિને જોઈ શકો છો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે અને વન્યજીવોને જોવાનો બેસ્ટ સમય એપ્રિલ અને મે છે. અહીં તમે પહાડો, નદીઓ જોઈ શકો છો. ગુજરાતમાં ફરવા માટેનું આ બેસ્ટ સ્થળ છે, તેમાં 400થી વધુ પ્રજાતિઓ છે. પાર્કમાં એશિયાઈ સિંહ, લડકબગ્ઘા, ચિંકારા, નીલગાય, મગર, અજગર, મલબાર વ્હિસલિંગ થ્રશ, ટૉની ગરુડ વગેરે જેવી ઘણી અનોખી વન્યજીવ પ્રજાતિઓ જોઈ શકાય છે.
સોમનાથ
સોમનાથ એક તીર્થસ્થાન છે અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ એક એવું શહેર છે જે તેની પોતાની પૌરાણિક કથાઓથી ઘેરાયેલું છે. મંદિરો ઉપરાંત તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ જોવા મળી જશે. સોમનાથ મંદિર અને સોમનાથ સમુદ્ર અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં આવે છે. સોમનાથ ફરવા માટેના સૌથી સારા સ્થળોમાં આવે છે, જો તમે ગુજરાતમાં જ ફરવા માટે જઈ રહ્યા છો, તો તમારે સોમનાથ પણ ફરવા માટે જરુર જવું જોઈએ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
પ્રસિદ્ધ ભારતીય શિલ્પકાર રામ વી સુતાર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું સ્ટેચ્યુ ઑફ યુનિટી, 18મી સદીના સૌથી આદરણીય ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલની એક વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલના ભારતના દ્રષ્ટિકોણનો પ્રચાર કરવા અને તેમની દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામ દ્વારા ભારતના નાગરિકોને પ્રેરિત કરવા માટે બનાવવામાં આવી છે. અંદાજે 790 ફૂટ (બેઝ સહિત)ની ઊંચાઈની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાય છે.