બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મંગળવારે સવારે બોટ પલટી જતાં 16 બાળકો ગુમ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં 33 બાળકો સવાર હતા જેમાંથી 17 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાગમતી નદીના માધુપુર પટ્ટી ઘાટ પાસે બની હતી.
મુખ્યમંત્રી નીતિશ કુમારે મીડિયાને જણાવ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત વરિષ્ઠ જિલ્લા અધિકારીઓને દુર્ઘટના સ્થળ પર જવા માટે સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘બચાવ કામગીરી ચાલી રહી છે… મેં સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક આ મામલાની તપાસ કરવા કહ્યું છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાય પૂરી પાડશે.