હાલ ચૈત્ર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. માતાના ભક્તો ઉપવાસ અને અનુષ્ઠાન કરે છે. તેઓ માતાને પ્રસાદ અર્પણ કરવા માટે ઘરે વિવિધ પ્રકારની મીઠાઈ બનાવે છે. ત્યારે આજે અમે તમને માતા દુર્ગાને અર્પણ કરવા માટે મીઠાઈની એક ખાસ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જાણો ઘરે સરળતાથી રસમલાઈ કલાકંદ મીઠાઈ બનાવવાની સરળ રેસીપી.
રસમલાઈ કલાકંદ રેસીપી
- કુલ સમય: 60 મિનિટ
- તૈયારીનો સમય: 10 મિનિટ
- રસોઈનો સમય: 50 મિનિટ
- કેટલા લોકો માટે: 3
- કેલરી: 200
રસમલાઈ કલાકંદ બનાવવાની સામગ્રી
- કેસર દૂધ
- 1/4 કપ ખાંડ
- એક કપ દૂધ પાવડર
- એક કપ મિલ્ક પાવડર
- બે કપ દૂધ
- એલચી પાવડર
- બદામ
- પિસ્તા
- ખાંડ
- 1/2 કપ દૂધ
- 200 ગ્રામ પનીર
રસમલાઈ કલાકંદ મીઠાઈ બનાવવાની રીત
- સૌથી પહેલા કલાકંદ રસમલાઈ દૂધ તૈયાર કરી લો.
એક બાઉલમાં એક કપ કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો.
- હવે દૂધમાં ખાંડ, દૂધ પાવડર, કેસરનું દૂધ, પિસ્તા અને બદામની કતરણ અને એલચી પાવડર નાખીને મિક્સ કરી લો.
- બધું બરાબર મિક્સ કર્યા પછી તેને ઠંડુ થવા માટે રેફ્રિજરેટરમાં રાખી દો.
- કલાકંદ બનાવવા માટે એક પ્લેટમાં પનીરને ગ્રેટરની મદદથી છીણી લો.
- છીણેલા પનીરમાં એક કપ મિલ્ક પાવડર, એક કપ દૂધ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- મિશ્રણને આંચ પર ગરમ કરવા માટે રાખો.
- તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે સૂકાઈને પેન અથવા કઢાઈથી અલગ ન થઈ જાય.
- કલાકંદ સૂકાવા લાગે ત્યારે તેમાં એલચી પાવડર અને કેસરનું દૂધ નાખીને મિક્સ કરી લો.
- થોડા ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને ગ્રીસ કરેલી ટ્રેમાં કલાકંદ સેટ કરવા માટે ફેલાવી દો.
- હવે ઉપર ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરીને સેટ થવા માટે અડધા કલાક માટે ફ્રીજમાં રાખી દો.
- અડધા કલાક પછી કલાકંદને રેફ્રિજરેટરમાંથી કાઢી ચોરસ આકારમાં કાપીને તૈયાર કરેલી રસમલાઈમાં પલાળીને સર્વ કરો.