વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરીએ તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, મોદી 2 જાન્યુઆરીએ તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચશે અને ભારતીદાસન યુનિવર્સિટીના 38માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે.
તિરુચિરાપલ્લીમાં એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રો સાથે સંબંધિત રૂ. 19,850 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
આ પછી મોદી લક્ષદ્વીપમાં અગાટી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે. 3 જાન્યુઆરીએ વડાપ્રધાન લક્ષદ્વીપમાં ટેલિકોમ, પીવાનું પાણી, સૌર ઉર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રો સાથે સંબંધિત અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. લક્ષદ્વીપની તેમની મુલાકાત દરમિયાન મોદી 1,150 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન
PM તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. રૂ. 1,100 કરોડથી વધુના ખર્ચે વિકસિત, બે-સ્તરની નવી આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ઇમારત વાર્ષિક 44 લાખથી વધુ મુસાફરો અને પીક અવર્સ દરમિયાન લગભગ 3,500 મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે.
મોદી અનેક રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં મદુરાઈથી તુતીકોરિન સુધીના 160 કિમી રેલ લાઇન સેક્શનને બમણું કરવું અને રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશનના ત્રણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સિવાય પીએમ મોદી અન્ય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.