મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક અદાલતે SC-ST એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા સાત ખેડૂતોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આદિવાસી ખેડૂતો પર ગ્રામીણની મારપીટનો આરોપ હતો. જેમાં પીડિતાને ઈજા થઈ હતી. પીડિતાની ફરિયાદ પર સાત ખેડૂતો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ (અત્યાચાર નિવારણ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓ વ્યક્તિને માર મારવાના કેસમાં હતા
સ્પેશિયલ જજ (એસસી-એસટી એક્ટ) એએસ ભાગવતે પોતાના આદેશમાં કહ્યું કે ફરિયાદી પક્ષ આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. જે બાદ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, જુલાઈ 2016માં આરોપીઓએ પીડિતા પર લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો હતો. પીડિતા ખડકપાડાના વાસુરી ગામની રહેવાસી છે અને ઠાકુર સમુદાયની છે. આરોપ છે કે આરોપીઓએ પીડિતાની ઝૂંપડીમાં પણ તોડફોડ કરી અને તેનો સામાન રસ્તા પર ફેંકી દીધો.
હવે આ કેસમાં આરોપીઓને રાહત આપતા જજે તેમને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે. જજે કહ્યું કે આરોપીઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિરોધાભાસી, અસ્પષ્ટ છે. ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરી શક્યો નથી અને તે માત્ર શંકા પર આધારિત છે.