spot_img
HomeEntertainmentભૂલભૂલૈયા થ્રીની રીલિઝ ડેટમાં કોઈ ફેરફાર નહિ, આ દિવસે થશે રિલીઝ

ભૂલભૂલૈયા થ્રીની રીલિઝ ડેટમાં કોઈ ફેરફાર નહિ, આ દિવસે થશે રિલીઝ

spot_img

‘ભૂલભૂલૈયા થ્રી’ના શૂટિંગમા વિલંબ થયો છે. જોકે, આમ છતાં પણ સર્જકોએ દિવાળીની રીલિઝ ડેટ સાચવવા માટે દોડધામ આદરી છે.

ફિલ્મનું શૂટિંગ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી ગણતરી હતી. તે પછી બે થી ત્રણ મહિના પોસ્ટ પ્રોડક્શનમાં લાગી શકે છે. જોકે, ફિલ્મના શૂટિંગમાં ધાર્યા કરતાં વિલંબ થયો છે.

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ફિલ્મના ક્લાઈમેક્સનાં દૃશ્યોનું શૂટિંગ થઈ રહ્યું છે. મોટાભાગે આગામી દસથી પંદર દિવસમાં આ શૂટિગ આટોપી લેવાશે.

બીજી તરફ કાર્તિક આર્યન હાલ પોતાની અન્ય ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગયો છે. જોકે, તેની અસર ‘ભૂલભૂલૈયા થ્રી’નાં શિડયૂલ પર ન પડે તેવી કાળજી લેવાઈ રહી છે. ફિલ્મમાં કાર્તિકની સાથે તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન તથા માધુરી દિક્ષિત સહિતના કલાકારો છે.

તાજેતરમાં જ એ પણ કન્ફર્મ થયું છે કે અભિનેતા વિજય રાઝ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular