spot_img
HomeGujaratAhmedabadઘટનાના દોઢ મહિના બાદ દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં મળી મહત્વની કડી

ઘટનાના દોઢ મહિના બાદ દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં મળી મહત્વની કડી

spot_img

IIT બોમ્બેમાં ભણતા અને મૂળ અમદાવાદના મણિનગરના રહેવાસી દર્શન સોલંકી આપઘાત કેસની તપાસ કરતી SITની ટીમને એક ચિટ્ઠી મળી આવી છે. જેમાં દર્શને અરમાન નામના એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો છે કે, તેને માનસિક ત્રાસ અને ધમકીઓ આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત દર્શનને આપઘાત કરવાના નિર્ણયમાં જાતિ આધારિત ભેદભાવ પણ એક પરિબળ હોવાનું કહેવાય છે. ઘટનાના દોઢ મહિના બાદ મળેલી ચિટ્ઠી આ કેસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જોઈન્ટ સીપી (ક્રાઈમ) લક્ષમી ગૌતમની આગેવાની હેઠળની એસઆઈટીએ 3 માર્ચે તેના હોસ્ટેલના રૂમની તપાસ શરૂ કરી હતી. જ્યાં ત્રણ શબ્દો લખેલી એક નાનકડી ચિટ્ઠી મળી હતી, જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો. કે, મને મારી નાખ્યો. પોલીસે જણાવ્યું કે ચિટ્ઠી સોલંકીના રૂમમેટ તરફ ઈશારો કરે છે. તેઓએ કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓએ તેમને ઘટનાના થોડા અઠવાડિયા પહેલા કહ્યું હતું, રૂમમેટે તેને છરી બતાવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સાક્ષીઓએ કહ્યું છે કે બંને વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ ન હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, દર્શન સોલંકીની માતાએ તેના હસ્તાક્ષરને ઓળખી કાઢ્યા છે અને પુષ્ટિ માટે ચિટ્ઠીને પોલીસ હેન્ડરાઈટિંગ એક્સપર્ટ્સ પાસે મોકલવામાં આવી છે.

One and a half months after the incident, an important link was found in the Darshan Solanki suicide case

ઉલ્લેખનીય છે કે, કેમિકલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી સોલંકીએ તેની સેમેસ્ટરની પરીક્ષાઓ પૂરી થયાના એક દિવસ પછી 12 ફેબ્રુઆરીએ હોસ્ટેલ કેમ્પસમાં આપઘાત કર્યો હતો. પવઇ પોલીસે આકસ્મિક મૃત્યુની એફઆઈઆર નોંધી અને તે આત્મહત્યા હોવાનું તારણ કાઢ્યું હતું. સોલંકીના પરિવારે ખોટી રમતનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે તેના ક્લાસમેટ્સ દ્વારા તેની સાથે જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવ્યો હતો. તેના માતા-પિતા તેમજ નેતાઓ દ્વારા વિગતવાર તપાસની માંગણીને પગલે 28 ફેબ્રુઆરીના રોજ કેસ શહેર ક્રાઈમ બ્રાન્ચ SITને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓને એ વાતે ચોકાવ્યા છે કે, ફેબ્રુઆરીમાં ઘટના બાદ તરત જ પવઈ પોલીસે ઘટનાસ્થળે જઈને પચનામું કર્યું હતું, પરંતુ તેમને ત્યાં કોઈ ચિટ્ઠી મળી નહી. જ્યારે 3 માર્ચના રોજ હાથ ધરાયેલા પંચનામા દરમિયાન ક્રાઈન બ્રાન્ચના અધિકારીઓને દર્શન સોલંકીની ચિટ્ઠી મળી ગઈ.

દરમિયાન, મૃત્યુ તરફ દોરી જવાના સંજોગોની તપાસ કરવા માટે IIT-B દ્વારા 12 સભ્યોની ઈન્ટરનલ કમિટીની રચના કરવામાં આવી હતી. જેના રિપોર્ટમાં કહેવાયું કે, જાતિ-આધારિત ભેદભાવના કોઈ ચોક્કસ પુરાવા નથી. ઘટતા શૈક્ષણિક પ્રદર્શનને કારણે કદાચ સોલંકીએ આપઘાત કર્યો હોઈ શકે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular