સામાન્ય જનતા માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. . અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરાયો છે.. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે… અને 15 કિલોના ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. 15કિલો ઘી ડબ્બા નો જુનો ભાવ 9220 હતો જે હવે 8845માં મળશે. ઘીના નવા ભાવ 14 માર્ચથી લાગુ કરવામાં આવશે.
મધ્યમવર્ગના લોકોને મોટી રાહત
ઘી એક એવી વસ્તુ છે જે દરેક વર્ગના લોકોની જરૂરીયાત છે. છેલ્લા કેટલાક સમયથી ઘીના વધતા ભાવોએ સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી હતી.. ત્યારે ઘીના ભાવમાં પ્રતિકિલો 25 રૂપિયાના ઘટાડાથી મધ્યમવર્ગના લોકોને મોટી રાહત મળશે..
અગાઉ ભાવમાં થયેલો વધારો અને ઘટાડો
મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં સાબર ડેરીએ પ્રતિકિલો ઘીએ 29 રૂપિયાનો ભાવ ઘટાડ્યો હતો.. અને જ્યારે આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2024માં પ્રતિકિલો 15 રૂપિયા ભાવ ઘટાડ્યો હતો. બરાબર એક વર્ષ પહેલા એટલે કે 2023ના માર્ચ માસમાં સાબર ડેરી દ્વારા ઘીની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારે બે મહિનામાં બે વાર ભાવ વધારાયા હતા.. કારણ કે તેની પહેલા ફેબ્રુઆરીમાં પણ ઘીની કિંમતમાં ડેરીએ વધારો કર્યો હતો. અને તેની આગળના વર્ષમાં એટલે કે 2022માં 8 વખત ઘીના ભાવમાં વધારો કરાયો હતો.