આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ માનનીય ડો. પ્રવીણ ભાઈ તોગડિયા ના નેતૃત્વ માં સુરક્ષિત હિન્દુ સમૃદ્ધ હિન્દુ સન્માન યુક્ત હિન્દુના ધ્યેય સાથે હિન્દુ સમાજ ને સંગઠિત અને જાગૃત કરવા નું કાર્ય કરી રહ્યું છે હાલ દેશ ના ૪૫૦ જિલ્લા માં સંગઠનની સમિતિ ઓ બનેલી છે આગમી સમય માં ભારત ભર માં ૧ લાખ થી પણ વધારે હનુમાન ચાલીસા કેન્દ્ર શરુ કરી હિન્દુ સમાજ ને સંગઠિત કરવામાં આવશે જે યોજના ના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડ ભાઈ ભરવાડ જુનાગઢ જિલ્લા ના પ્રવાસ માં આવેલ અને શ્રી રણછોડ ભાઈ દ્વારા આગામી કાર્યક્રમો અંગે માહિતી આપવા માં આવી .
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી નવરાત્રિ દરમિયાન યુવાનો માં વધતા હૃદય રોગના પ્રમાણ ને કારણે મફત માં બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ તેમજ કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન ના કાર્યક્રમો બહોળા પ્રમાણ માં યોજાશે અને જુનાગઢ શહેર માં પણ ૫૦ થી વધારે સ્થાનો પર હનુમાન ચાલીસા કેન્દ્ર શરુ કરવા માં આવશે આ હનુમાન ચાલીસા કેન્દ્ર માં હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સમાજ ની વર્તમાન સમસ્યા અંગે કાર્ય કરી હિન્દુ સમાજ ના સર્વાંગી વિકાસ માટે કાર્યરત થશે.
આ કાર્યક્રમ માં શ્રી રણછોડ ભાઈ સાથે પ્રાંત સંગઠન મંત્રી નિર્મળ સિંહ ખુમાણ પ્રાંત મંત્રી જયસુખ ભાઈ બૂટાણિ વિભાગ અધ્યક્ષ રાજુ ભાઈ રાઠોડ રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા અધ્યક્ષ અશ્વિન ભાઈ પોશિયા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ શહેર મંત્રી લલિત ભાઈ ઠુમ્મર ઉપસ્થિત રહેલ અને ભારતી આશ્રમ ના લઘુ મહંત શ્રી મહદેવ ભારતી બાપુ દ્વારા એ ખાસ હાજરી આપી સંગઠન ના આગામી કાર્યક્રમો માટે શુભાશિષ અને શુભ કામનાઓ પાઠવેલ.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ માં જોડાવા માટે જિલ્લા મહામંત્રી ગૌરવ ભાઈ સુખનંદી(૯૭૧૪૮૬૮૭૦૦)નો સંપર્ક કરવા જણાવેલ છે